શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી બ્રિજની કામગીરીને પગલે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યા અંગે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ટ્રાફિક હળવો કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં સુભાષ બ્રિજ, હાટકેશ્વર બ્રિજ (તોડવાની કામગીરી), કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર બ્રિજની કામગીરીને કારણે વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડતું હતું.


રસ્તાઓ પર એકપણ લારીગલ્લાં ન રહે તેની સૂચના

આ મુદ્દે સંદેશ ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો, જેની ગંભીર નોંધ લેતા તંત્ર હરકતમાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જ્યાં બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં રસ્તાઓ સાંકડા થયા છે. આવા સંજોગોમાં રસ્તાઓ પર લારી-ગલ્લાના દબાણોને કારણે ટ્રાફિક વધુ વકરે છે.

બ્રિજની કામગીરીના કારણે થાય છે ટ્રાફિક જામ

મનપાએ એસ્ટેટ વિભાગને સૂચના આપી છે કે મુખ્ય રસ્તાઓ પર એકપણ લારી-ગલ્લાનું દબાણ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. એસ્ટેટ વિભાગ હવે કડક હાથે કામગીરી કરીને માર્ગો પરથી દબાણો દૂર કરશે જેથી વાહનોની અવરજવર સરળ બની શકે. ખાસ કરીને 12 ડિસેમ્બરના રોજ રજૂ થયેલા આ મુદ્દા બાદ હવે તંત્ર યુદ્ધના ધોરણે ટ્રાફિક સમસ્યા નિવારવા કામે લાગ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: