ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાયાના મેસેજને કારણે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. પેટ્રોલ ખૂટી પડશે તેવી અફવાઓને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. સરકાર અને તંત્ર દ્વારા પૂરતો જથ્થો છે લોકોએ પેનિક થવાની જરૂર નથી તેવું જાહેર મંચ પરથી કહેવું પડ્યું હતું. ત્યારે હવે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.


અમદાવાદ અને રાજકોટમાં સ્થિતિ રાબેતા મુજબ

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થયું છે. વાહનચાલકોની લાઈનોમાં ઘટાડો થયો છે. રાબેતા મુજબ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાથી લોકો લાઈનોમાં લાગ્યા હતાં. લોકોની લાઈનોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પેનિકની સ્થિતિ ઓછી થતી જોવા મળી રહી છે.રાજકોટમાં પણ પેટ્રોલ અને ડીઝલની અછતની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. બે દિવસ લાઈનો લાગ્યા બાદ હવે તેમાં પણ ઘટાડો થયો છે. પેટ્રોલ પંપો રાબેતા મુજબ શરૂ થયા છે અને ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી લોકોમાં પેનિકની સ્થિતિ પણ ઓછી થવા પામી છે.

37 કરોડથી વધુનું પેટ્રોલ અને ડીઝલ વેચાયું

અમદાવાદમાં બે દિવસમાં 37 કરોડથી વધુનું પેટ્રોલ અને ડીઝલ વેચાયું છે. સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ ગણો વેચાણમાં વધારો થયો છે. સંગ્રહ ખોરી રોકવા કેરબામાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ નહીં કરાય.અફવાને પગલે સોમવારથી પંપો પર લાઈનો લાગી હતી. કેટલાક પેટ્રોલપંપો પર વહેલી સવાર સુધી વેચાણ ચાલુ રહ્યું હતું.અમદાવાદમાં બે દિવસમાં 12થી 15 લાખ લીટર પેટ્રોલનું વેચાણ ચાલુ રહ્યું હતું. બે દિવસમાં 20થી 25 લાખ લીટર ડીઝલનું વેચાણ થયું છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને STમાંથી હટાવી OBCમાં સમાવવા સરકારની વિચારણા


  • Follow us on: