અમદાવાદમાં પરમિશન વગર ચાલતા કેટલાક PG પર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.


ગુરુકુલમાં નીલમણી PG અને સ્ટર્લિંગ સોસાયટીમાં ચાલતા PGને સીલ કરાયા

પોલીસ અને સોસાયટી દ્વારા જરૂરી વેરિફિકેશન ન કરવામાં આવવાને પગલે ગુરુકુલમાં નીલમણી PG અને સ્ટર્લિંગ સોસાયટીમાં ચાલતા PGને સીલ કરવામાં આવ્યા છે.

 પોલીસ, ફાયર વિભાગ અને સોસાયટીનું NOC ફરજીયાત

એસ્ટેટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, PG ચલાવવા માટે પોલીસ, ફાયર વિભાગ અને સોસાયટીનું NOC ફરજીયાત છે. કોઈ પણ સંચાલક મંજુરી વગર PG ચલાવી શકશે નહીં. NOC વગર PG ચલાવતા સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી થવાની રહેશે.


આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: