રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં આગામી સમયમાં ST બસ અને લક્ઝરી બસ બંધ કરવા આયોજન થઇ રહ્યું હોવાનું શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું છે.


માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે

મોબીલિટી એક્ઝિબિશનમાં મંત્રી દર્શના વાઘેલાએ કહ્યું હતું કે શહેરમાં ST બસ અને લક્ઝરી બંધ કરવા આયોજન છે અને માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે

ટ્રાફિકનો બોજ ઘટાડવાનો ઉદ્દેશ્ય

મોબિલિટી એક્ઝિબિશન દરમિયાન શહેરી વિકાસ રાજ્ય મંત્રી એ જણાવ્યું કે આ આયોજનનો મુખ્ય હેતુ ટ્રાફિકનો બોજ ઘટાડવાનો અને નાગરિકોને જાહેર પરિવહન તરફ પ્રોત્સાહિત કરવાનો છે.

લોકો વધુમાં વધુ AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરે

તેમણે કહ્યું કે, લોકો વધુમાં વધુ AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરે તેવી મારી અપીલ છે. શહેરમાં વસ્તી સતત વધી રહી છે. એક ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હશે તો ટ્રાફિક વધશે જ. જો જાહેર પરિવહનનો ઉપયોગ વધશે તો ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે.”

મેટ્રોસિટી તરીકે આયોજનબદ્ધ પરિવહન પર ભાર

મંત્રીએ ઉમેર્યું કે અમદાવાદ મેટ્રોસિટી છે અને અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા અપનાવવામાં આવશે તો ટ્રાફિક પર નિયંત્રણ શક્ય બનશે.


આ પણ વાંચો-----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: