મંદીના કારણે રાજ્યસરકાર દ્વારા રત્નકલાકારોના બાળકોને ભણતર માટે સહાય આપવામાં આવી હતી. અમરેલીના બાબરા પાસેના કરિયાણા ગામની ખાનગી શાળાના સંચાલકો આશરે 25 લાખ ઓળવી ગયાના આક્ષેપ કરાયો છે.


ફી ની કોઈ પાકી પહોંચ આપવામાં આવતી નથી

રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો હતો કે 450 કરતા પણ વધુ વિદ્યાર્થીઓને આ શાળામાં સહાય અપાઇ હતી. સરકારે આપેલી સહાય ફી કરતા વધુ હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું અને ફી ની કોઈ પાકી પહોંચ આપવામાં આવતી નથી,માત્ર કાચા કાગળ ઉપર રકમ જમા કરી કાપલી આપતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

 FRC પ્રમાણે જ ફી લેવાતી હોવાનું શાળાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું

 ફીની વસૂલાત ઉપરના રૂપિયા આપવા અથવા આવતા વર્ષની ફીમાં જમા કરવા રત્નકલાકારોએ માંગ કરી હતી. આ બાબતે અમરેલી કલેક્ટર અને જિલ્લા શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરાઇ છે. જો કે FRC પ્રમાણે જ ફી લેવાતી હોવાનું શાળાના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું. હતું. સમગ્ર મામલે ઉદ્યોગ કેન્દ્ર અને ખાણખનિજ વિભાગને તપાસ સોંપવામાં આવી હોવાનું DEO એ જણાવ્યું છે.


આ પણ વાંચો---  Gujarat Flashback 2025 : સાહિત્ય અને રાજકીય ક્ષેત્રે આ વર્ષે ગુજરાતે આ મહાનુભાવો ગુમાવ્યા

  • Follow us on: