અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યપ્રાણીઓના આંટાફેરા વધતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહ અને દીપડા દ્વારા સતત થઈ રહેલા પશુઓના મારણને કારણે માલધારીઓને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વન્યપ્રાણીઓ હવે રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં અડિંગો જમાવી રહ્યા છે
વડિયા પંથકમાં વન્યપ્રાણીઓ હવે રહેણાંક અને ખેતીવાડી વિસ્તારોમાં અડિંગો જમાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં વડિયા વિસ્તારમાં સિંહોના ટોળાએ એક માલધારીના બે પશુઓનું મારણ કર્યું હતું. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ હનુમાન ખીજડિયા ગામે દીપડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં એક દીપડો મધરાત્રે શ્વાનનો શિકાર કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.













