અમરેલીના લીલીયાના કણકોટ ગામમાં નર સિંહ ખુલ્લા કૂવામાં પડી જતાં તેનું મોત થયું હતું. આ સિંહની ઉંમર બે થી અઢી વર્ષના આસપાસ હોવાનું અનુમાન છે.


અગાઉ માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું

આ પહેલા પણ આ પંથકમાં માદા સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું, જે વન્યજીવન માટે ગંભીર ચિંતાનો વિષય છે. લીલીયા પંથકમાં પડેલા ખુલ્લા કુવાઓના કારણે અનેક વન્ય પ્રાણીઓ માટે જોખમ ઉભુ થયું છે.

સિંહના મૃત દેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે લઇ જવાયો

લીલીયાના કણકોટ ગામે સિંહના મૃત દેહને કૂવામાંથી બહાર કાઢી પીએમ માટે ક્રાંકચ એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો છે.

તમામ ખુલ્લા કુવાઓને જાળીથી ઢાંકવામાં આવે તેવી માગ

વનવિભાગે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે, અને સિંહ પ્રેમીઓએ માંગ કરી છે કે આ પ્રકારના ખુલ્લા કુવાઓને જાળીથી ઢાંકવામાં આવે, જેથી વધુ પ્રાણીઓનો જીવ બચી શકે.


આ પણ વાંચો----   Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે

  • Follow us on: