અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. પોલીસને આ મામલાની જાણ થતાં સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે.


યુવતીના પરિવારજનો દ્વારા પથ્થરમારો

મળેલી માહિતી પ્રમાણે મોભીયાણા ગામમાં યુવક અને યુવતીના પ્રેમ લગ્ન પછી યુવકના વરઘોડા દરમિયાન યુવતીના પરિવારજનો દ્વારા પથરમારો કરવામાં આવ્યો હતો જેના પરિણામે 1 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.

યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા

થોડા દિવસ પહેલા યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને આજે ધામધૂમથી યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો દરમિયાન યુવતીના પરિવારજનો ધસી આવ્યા હતા અને પથરમારો કર્યો હતો.

એક વ્યક્તિને ઇજા પહોંચી

ઘટનામાં ભાવેશભાઈ ભીલ નામના 1 વ્યક્તિને પથ્થર વાગતા ગંભીર ઈજા પહોંચી હતી અને તેને મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરાયો.

છુટા હાથની મારામારી

 એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામસામે પથરમારો થયો હતો અને છુટા હાથની મારામારી પણ થઇ હોવાનું જાણવા મળે છે

પોલીસ સ્થળ પર પહોંચી

મામલાની જાણ થતાં ડુંગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાની ઉંડી તપાસ શરુ કરી હતી.


આ પણ વાંચો----       Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક

  • Follow us on: