અમરેલીના વિઠ્ઠલપુર નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં ન્હાવા પડવું એક યુવક માટે જીવલેણ સાબિત થયું છે. નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ સ્થાનીય લોકો અને તંત્રની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક વિઠ્ઠલપુર પાસે શેત્રુજી નદીમાં ન્હાવા માટે ગયો હતો. નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન આવતા યુવક અચાનક ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.













