કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદની મોટી શાકમાર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. વારંવાર સૂચનાઓ છતાં લારીઓ રસ્તા પર ઊભી રાખીને ટ્રાફિક અવરોધ સર્જાતા દબાણ હટાવવાની કામગીરી જરૂરી બની હતી.


લારીઓ અને પરચુરણ સામાન જપ્ત

દબાણ શાખાની ટીમ દ્વારા મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિક માટે અડચણરૂપ 3 લારીઓ, અન્ય પરચુરણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

7 દુકાનદાર પાસેથી 70,000 દંડ વસૂલ

આ ઉપરાંત અમુલ ડેરી રોડ પર આવેલી 7 દુકાનોના માલિકો દ્વારા દુકાન બહાર રોડ પર માલસામાન મૂકીને લોકો અને વાહન વ્યવહારને અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. તેને પગલે 7 દુકાનદારો પાસેથી દરેક પાસે 10,000 મુજબ કુલ 70,000 દંડ વસૂલવામાં આવ્યો.

મનપાની ચેતવણી

એસ્ટેટ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ફૂટપાથ કે જાહેર રસ્તા પર માલસામાન ન મૂકવા, ટ્રાફિક અવરોધ ન ઊભો કરવા દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી રહી છે. અને ભવિષ્યમાં જો કોઈ દુકાનદાર આવા દબાણ કરશે, તો કાયદાકીય જોગવાઈ મુજબ કડક દંડ વસૂલ કરવામાં આવશે.


આ પણ વાંચો---  Gandhinagar : DYCMના આદેશના પગલે રાજ્યના તમામ યાત્રાધામ અને પ્રવાસન સ્થળે સરપ્રાઈઝ ચેકીંગ

  • Follow us on: