હોળી-ધુળેટીના પર્વે રાજ્યમાં અનેક સ્થળે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાંથી અત્યંત દુખદ સમાચાર મળી રહ્યા છે. જાલમપુર ગામ નજીકથી પસાર થતી માઝમ નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંનેના મોત નીપજ્યા છે.
બુટાલ અને ગુલાબપુરાના યુવાનોએ જીવ ગુમાવ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ધનસુરા તાલુકાના જાલમપુરા અને બુટાલ ગામના બે મિત્રો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા. મૃતક યુવકોની ઓળખ ખાંટ આનંદભાઈ લાલાભાઈ (રહે. ગુલાબપુરા) અને ડાભી રણજીતસિંહ જયંતિસિંહ (રહે. બુટાલ) તરીકે થઈ છે. નદીના પાણીમાં ડૂબતા યુવાનોએ બૂમાબૂમ કરી હતી, પરંતુ બચાવ કામગીરી થાય તે પહેલા જ તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.













