વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ યાત્રાના પાવન અવસરને યાદગાર બનાવવા માટે પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારમાં એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો. સરહદી પટ્ટામાં આવેલા મુળેશ્વર મંદિર ખાતે ભક્તો અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક 'ઓમકાર' નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આધ્યાત્મિક શક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ
વડાપ્રધાનની સોમનાથ મુલાકાતના સંદર્ભમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનો સંદેશ છેક સરહદ સુધી પહોંચાડવાનો હતો. મુળેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે એકસાથે સેંકડો કંઠે ઓમકારનો નાદ કર્યો, ત્યારે તેની ગુંજ પાકિસ્તાન સરહદ સુધી સંભળાઈ હતી, જે રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું પ્રતીક બની રહી હતી. આ પાવન પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર પણ જોડાયા હતા.













