દિયોદરમાં સગીર વિદ્યાર્થિનીનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ છે. શાળામાં ભણતો યુવક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનો આરોપ લગાવાયો છે. આ મામલે સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શાળામાં જ ભણતો શખ્સ ભગાડી ગયો
દિયોદરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. મળેલી માહિતી પ્રમાણે શાળામાં જ અભ્યાસ કરતો યુવક સગીરાને ભગાડી ગયો છે













