ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.


મોહિત નરેશભાઇ ટેભાણ નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા

 પ્રાથમિક તપાસ મુજબ, મોહિત નરેશભાઇ ટેભાણ નામના યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનુ મોત થયું હતું.

પૈસાની લેતીદેતીને લઈને હત્યા થઈ હોવાની શંકા

સ્થાનિક માહિતીઓ અનુસાર, આ હત્યા પૈસાની લેતીદેતીને લઈને થઈ હોવાની શંકા છે અને ઘટનામાં ચાર શખ્સો સામેલ હોવાનું પોલીસને માહિતી મળી છે.

 હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ

ગંગાજળીયા પોલીસ સ્ટેશને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે મૃતકના કાકાની ફરિયાદના આધારે કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ અર્ફે કાળીયા, આર્યન બારૈયા સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે. 

આ પણ વાંચો---  Mumbai Attack: બહાર મોતનો નગ્ન નાચ ચાલતો હતો અને હોસ્પિટલમાં ગોળીબાર વચ્ચે જ્યારે એક નર્સે પ્રસૂતિ કરાવી..આતંકી હુમલાની અંજલીની કહાની

  • Follow us on: