29 ડિસેમ્બરના રોજ બગદાણા નવનીત બાલધીયા પર થયેલા હુમલાના કેસમાં અત્યાર સુધી જયરાજ આહીર સહિત 14ની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ હજી પણ SIT દ્વારા ચાલી રહી છે.
ભાવનગરમાં 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય મહાસભા યોજવાની જાહેરાત
નવનીત બાલધીયા પર થયેલ આ હુમલામાં ન્યાય મળે તે માટે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ભાવનગરમાં 1 ફેબ્રુઆરીના રોજ ન્યાય મહાસભા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.













