આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 23 કરોડ અને 70 લાખ રૂપિયાના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. કમિટીના અધ્યક્ષસ્થાનેથી કુલ 24 એજન્ડાને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ વિકાસના કાર્યો થવાથી ભાવનગરવાસીઓની સુવિધામાં વધારો થશે અને તેમનું જીવનધોરણ સુધરશે.
કયા મુખ્ય કાર્યોને મળી મંજૂરી?
વર્ષ 2019માં મનપામાં ભળેલા અધેવાડા વિસ્તારની સોસાયટીઓ માટે 9 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે પાણીનું નવું નેટવર્ક પાથરવામાં આવશે. અધેવાડાની કુલ 45 સોસાયટીઓમાં પીવાના પાણી અને ડ્રેનેજ સહિતના વિકાસના કામો હાથ ધરવામાં આવશે, જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.













