ભાવનગર શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગવાના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આગમાં ઘર વખરી સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી.


અફરાતફરીનો માહોલ સર્જાયો

ઘટનાની મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હોવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. બોરડીગેટ વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોસાયટીના રહેણાંકી મકાનમાં આ આગ લાગવાની ઘટનાને કારણે અફરાતફરી સર્જાઈ હતી.

આગ લાગવાનું અકબંધ

આગ લાગવાના બનાવથી ઘરમાં રહેલા વોશિંગ મશીન, ફ્રીજ સહિતની ઘર વખરી સળગી ગઈ હતી. જે કારણે ઘરમાલિકને લાખોનું નુકસાન થયું છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દૂર્ઘના સમયે મકાનમાં કોઈ ન હોવાના કારણે મોટી જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાના કારણે લાખોની કિંમતની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોય તેમ જણાઈ રહ્યું છે.


આ પણ વાંચો - Gir Somnath News: રાજ્યમાં વધુ એક શિક્ષકની આત્મહત્યા, ઉનાની સરકારી શાળાની શિક્ષિકાએ જીવન ટૂંકાવ્યું


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: