ભાવનગર જીલ્લા સમસ્ત રબારી સમાજના સભ્યોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે, જેમાં નિર્દોષ પરિવારનો ભોગ લેનારા ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર રજૂ કરવા માટે આશરે 100 જેટલા રબારી સમાજના લોકો સીધા એસ.પી ઓફિસમાં પહોંચ્યા.
કેસની વિગતો
માહિતી પ્રમાણે, શૈલેષ ખાંભલા, જે ભૂતપૂર્વ મદદનીશ વનસંરક્ષક તરીકે ફરજ બજાવતો હતો. તેણે પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી.













