છોટાઉદેપુરના નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે બબાલ થયા બાદ પથ્થરમારો થવાની ઘટના બની છે. બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરપ્રાંતિયોએ દારૂ પીધેલી હાલતમાં વાહનોમાં નુકસાન કર્યું હતું જ્યારે પરપ્રાંતિયોએ 4 જેટલા બાઈકોમાં તોડફોડ કરી હતી. પથ્થરમારો થતા 8 થી 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડાયો છે. નસવાડી પોલીસે પર આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં છોડાવા જતાં મામલો બિચક્યો
છોટાઉદેપુરના નસવાડીમાં પરપ્રાંતિયો અને નસવાડીના યુવાનો વચ્ચે મોટી બબાલ થઇ હતી. પરપ્રાંતિય પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં નસવાડી ના યુવાનો છોડવવા જતાં મામલો બિચક્યો હતો.













