દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતા મુનખોસલા સ્ટેટ હાઈવે પર માછણ નાળાનું નહેરનું કામ પૂર્ણ થયે 25 દિવસ થઈ ગયા, છતાં રસ્તો ખોલાયો નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકો આ સ્થિતિથી ભારે તકલીફમાં છે, અને તંત્ર સામે વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
વૈકલ્પિક માર્ગ ન બનાવાતા મોટી મુશ્કેલી
નહેર વિભાગ દ્વારા સિંચાઈના હેતુસર નહેરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામ દરમિયાન સલામતીના પૂરતા પગલાં અને વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગ ન બનાવાતા મોટી મુશ્કેલી ઉભી થઇ. રસ્તો તૂટ્યો હોવાને કારણે ધૂળ, અંધારું અને અકસ્માતો સર્જાયા હતા.













