દાહોદ જિલ્લામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. દાહોદના સંજેલીના હીરોવા કોચર પાસેથી બસ સ્ટેશનના પાછળના ભાગમાં એક યુવકનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો છે. જે કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળવાને કારણે તેની હત્યા કરાઈ હોવાની આશંકા છે.
હત્યા થઈ છે કે તેને આત્મહત્યા?
દાહોદમાં અર્ધ સળગેલી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. સંજેલીના હીરોલા કોચર પાસેથી અર્ધ સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા સંજેલી પોલીસ, ઝાલોદ ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલ પોલીસ આ યુવક કોણ છે અને તેની હત્યા થઈ છે કે તેને આત્મહત્યા કરી છે, તે અંગે વધુ તપાસ કરી રહી છે.













