યાત્રાધામ દ્વારકાને જોડતા નેશનલ હાઈવે પર સતત વધતા જતા વાહનોના ભારણ અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગને કારણે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વાહનચાલકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને હવે હાઈવે પર ઠેર-ઠેર રેટ્રો રિફ્લેક્ટિવ ટ્રાફિક સાઈન બોર્ડ્સ લગાવવામાં આવ્યા છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
છેલ્લા કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ઓવરસ્પીડ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. આ પરિસ્થિતિને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ટ્રાફિક શાખા દ્વારા બ્લેક સ્પોટ્સ અને જોખમી વળાંકો પર આધુનિક રિફ્લેક્ટિવ બોર્ડ્સ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.













