જામખંભાળિયા ખાતે સલાયા ફાટક પાસે બનતા અંડરબ્રિજને લઈને ચાલતો લાંબા સમયનો વિવાદ આખરે ઉકેલાયો છે. છેલ્લા લગભગ આઠ મહિનાથી બંધ પડેલી અંડરબ્રિજની કામગીરી હવે ફરી શરૂ કરવામાં આવી છે.


બ્રિજની ડિઝાઇનને લઈને ભારે નારાજગી હતી

સ્થાનિક વેપારીઓ, ડોકટરો અને રહીશોએ અંડરબ્રિજની ડિઝાઇનને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે કામગીરી અટકી ગઈ હતી અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

સાંસદ પૂનમબેન માડમે લાવ્યો સુખદ અંત

આ મામલે સાંસદ પૂનમબેન માડમના હસ્તક્ષેપ બાદ ડિઝાઇન સંબંધિત જટિલ પ્રશ્નોનો નિકાલ આવ્યો છે. તેમની પહેલથી સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

કાર્ય ફરી શરૂ થવાની જાહેરાત બાદ મોટી સંખ્યામાં વેપારીઓ અને રહીશો એકત્ર થયા હતા અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. હવે અંડરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----     Anand : ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન

  • Follow us on: