રાજ્યમાં લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો આજે સવારે 10 વાગ્યે વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનો ગૃહમાં ખાસ ઉપસ્થિત રહેશે.
પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ગૃહમાં હાજર રહેશે
માહિતી મુજબ, પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ ઐતિહાસિક જાહેરાત સમયે વિધાનસભામાં હાજરી આપશે. સમાજના અગ્રણી નેતાઓ જેમ કે દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ સહિતના આગેવાનો કાર્યક્રમમાં જોડાશે.













