ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક અને ધાર્મિક પર્યટન સ્થળોના વિકાસ માટે વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત પાવાગઢ વિસ્તારમાં આવેલા હેરિટેજ સ્થાપત્યોને આકર્ષક બનાવવા માટે વિશેષ લાઈટીંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
1.80 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી માટે અંદાજે રૂ. 1.80 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક સ્મારકોને રાત્રિના સમયે વધુ આકર્ષક બનાવવાનો અને પર્યટકોને આકર્ષવાનો છે.













