ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસ વધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે નવા 14 કેસ સામે આવ્યા છે અને 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. શહેરમાં ટાઈફોઈડના કૂલ કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે. ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.


બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગ્યો

ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસો વધતાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને રાજ્યના મુખ્ય સચિવને નોટીસ ફટકારી છે. મુખ્ય સચિવ પાસે બે સપ્તાહમાં વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. માનવ અધિકાર પંચે ટાઈફોઈડના કેસોમાં લેવાયેલા પગલાની વિગતો પણ માગી છે. આ ઉપરાંત દર્દીઓના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેનો પણ રિપોર્ટ માંગવામા આવ્યો છે.

મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી

આ પહેલા રાજ્યના મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે બેઠક કરીને ટાઈફોઈડના કેસો અંગે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ જરૂરી તમામ પગલા લેવાનો આદેશ કર્યો હતો. જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે મુખ્યમંત્રીને કામગીરીની વિગતો પણ આપી હતી. જેમાં 10 ડોક્ટરોની ટીમ અને 100થી વધુ નર્સિંગ સ્ટાફ ટાઈફોઈડના દર્દીઓની સારસંભાળમાં લાગેલો છે એમ જણાવાયું હતું.


આ પણ વાંચોઃ Gujarat Breaking News: રાજપીપળામાં મંદિરના મહારાજના રૂમમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્ચા


  • Follow us on: