રાજધાની ગાંધીનગરમાં થોડા સમય પહેલા બનેલી ઋષભ પટેલ આત્મહત્યાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ફરાર રહેલો આ કેસનો આરોપી કલ્પેશ તલાટી આખરે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


શું હતો સમગ્ર મામલો?

ગાંધીનગરના રહીશ ઋષભ પટેલે ત્રણ વ્યક્તિઓના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આત્મહત્યા પહેલા ઋષભે આ ત્રણેય શખ્સોના ત્રાસ અંગે ચોક્કસ પુરાવાઓ અને વિગતો આપી હતી, જેના આધારે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ત્રણ લોકોના નામ ખુલ્યા હતા, જેમાં કલ્પેશ તલાટીની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે.

પોલીસ દ્વારા સીન રી-કન્સ્ટ્રક્શન

આરોપી કલ્પેશ તલાટી હાજર થતા જ ગાંધીનગર પોલીસે તેને સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યાના સ્થળે જઈને સમગ્ર ઘટનાનું 'રી-કન્સ્ટ્રક્શન' કરાવ્યું હતું, જેથી આત્મહત્યાના કારણો અને તે સમયે સર્જાયેલી પરિસ્થિતિની કડીઓ જોડી શકાય. આરોપીએ કઈ રીતે ઋષભને મજબૂર કર્યો અને આ કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગે પોલીસ હવે સઘન પૂછપરછ કરી રહી છે.

અન્ય આરોપીઓ સામે પોલીસની તપાસ ચાલુ

આ કેસમાં હજુ પણ અન્ય આરોપીઓ સામે પોલીસની તપાસ ચાલુ છે. પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે અને ન્યાયની માંગ તેજ બની છે.


આ પણ વાંચો----      Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

  • Follow us on: