આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી '૧૧૨' ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ 'સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ' તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે.
એક દિવસમાં સરેરાશ 12 હજારથી વધુ કોલ એટેન્ડ કરાયા
મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છે, તેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું. રાજ્યભરમાં '૧૧૨' ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ ૩,૮૨,૭૨૮ ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ ૧૨,૦૦૦ થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી ૨૦૨૬માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ રહ્યો છે.













