મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને માર્ચ ૨૦૨૬નો રાજ્ય કક્ષાનો 'સ્વાગત' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સીધો જનસંવાદ સાધીને રાજ્યભરમાંથી આવેલા અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી વહીવટી પારદર્શિતા લાવતા આ કાર્યક્રમમાં 100થી વધુ જટિલ પ્રશ્નોનું સ્થળ પર જ ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું.


શિક્ષણ અને માળખાગત સુવિધા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાંથી આવેલી રજૂઆતને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો હતો. તેમણે દાંતીવાડામાં નવી શાળાના મકાનનું નિર્માણ કરવા માટે સંબંધિત વિભાગને તાત્કાલિક સૂચના આપી હતી. બાળકોના શિક્ષણ માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં કોઈ વિલંબ ન થાય તે માટે તેમણે કડક આદેશો આપ્યા હતા.

વૃદ્ધ માતા-પિતાને મળ્યું રક્ષણ

આ વખતના સ્વાગત કાર્યક્રમમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં વૃદ્ધ માતા-પિતાએ પોતાના જ પુત્ર અને પુત્રવધૂ દ્વારા આપવામાં આવતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ આ કિસ્સામાં માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક ધોરણે વૃદ્ધ દંપતીને પોલીસ રક્ષણ પૂરું પાડવાના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીના આ નિર્ણયથી પીડિત વૃદ્ધોને કાર્યક્રમમાં જ ન્યાય મળ્યો હતો.

સરકાર દ્વારા લોકફરિયાદનો ત્વરિત ઉકેલ

સરકાર દ્વારા લોકફરિયાદનો ત્વરિત ઉકેલ લાવવાની આ પદ્ધતિની અરજદારોએ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના છેવાડાના માનવી સુધી પહોંચી તેના પ્રશ્નોનો ઉકેલ લાવવો એ સરકારની પ્રાથમિકતા છે.


આ પણ વાંચો----     Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત

  • Follow us on: