ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું 1903.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ગયા વર્ષની સરખામણીએ પોણા અગિયાર ટકા (11 ટકા)નો વધારો સૂચવવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગાંધીનગરના શહેરીજનો પર કોઈ નવો વેરો ઝીંકવામાં આવ્યો નથી.


રિબેટ યોજનામાં મોટો ફાયદો

ગાંધીનગર મનપાના ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરા અને વાહન વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઉલટું, એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો માટે રિબેટ યોજનાનો સમયગાળો બે માસથી વધારીને ત્રણ માસ કરવામાં આવ્યો છે, જે કરદાતાઓ માટે મોટી રાહત છે. ગાંધીનગર મનપા આ બજેટમાં 150 કરોડ રૂપિયાની સરપ્લસ આવકનો અંદાજ ધરાવે છે.

ગાંધીનગર શહેરના વિકાસ માટે મહત્ત્વની જાહેરાતો

  • પીએમ ઈ-બસ સેવા: ગાંધીનગરમાં ટૂંક સમયમાં પીએમ ઈ-બસ સેવા શરૂ થશે. પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 ઈલેક્ટ્રિક બસો દોડશે
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રાંધેજાથી કોબા સુધીના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. ભૌતિક સુવિધાઓ માટે 1186.71 કરોડ રૂપિયા અને સામાજિક સુવિધાઓ માટે 219.45 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે
  • સ્વચ્છતા અને આરોગ્ય: સફાઈ માટે 161.75 કરોડ રૂપિયા અને આરોગ્ય માટે 40.18 કરોડ રૂપિયા ખર્ચાશે. આ ઉપરાંત શહેરમાં નવા 3 ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે.
  • ટેકનોલોજીનો ઉપયોગ: પાણીના વિતરણ અને ક્વોલિટીની ચકાસણી હવે કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા થશે.

ગાંધીનગર મનપા પોતાની આવક વધારવા માટે હાઈ વેલ્યુ પ્લોટના વેચાણ અને પ્લોટ મોનીટાઈઝેશન (રૂપિયા 50 કરોડ) પર ધ્યાન કેન્દ્રિત કરશે. શિક્ષણ માટે પણ રૂપિયા 16.90 કરોડની ફાળવણી બજેટમાં કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gandhinagar news: ચ-5 સર્કલ પર અકસ્માતમાં યુવકનું મોત


  • Follow us on: