મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સિરામિક ઉદ્યોગોના હિતમાં અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.


 નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો

જેમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા મોરબી તથા સુરેન્દ્રનગર -થાનગઢના Minimum Guarantee Offtake (MGO) કરાર હેઠળના સિરામીક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં રૂ. ૪.૫૦ પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં

 રાજ્ય સરકાર દ્વારા આ ભાવ ઘટાડો આવતીકાલે તા. ૦૧ જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં આવશે. ગુજરાત ગેસ દ્વારા આ બાબતે મોરબી તથા સુરેન્દ્રનગર-થાનગઢના સિરામીક એકમોને પણ જાણ કરવામાં આવી છે.


આ પણ વાંચો----    Gujarat : નવા DGPની પસંદગી માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વાંચો કોણ બનશે ડીજીપી

  • Follow us on: