ગીર સોમનાથ જિલ્લાના દેલવાડા–જૂનાગઢ મીટરગેજ ટ્રેનના 2 રુટ આગામી 19 જાન્યુઆરીથી બંધ થતા સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં નારાજગી ફાટી નીકળી છે. ગ્રામજનો અને વિધ્યાર્થીઓએ પ્રાચી રોડ જંકશન રેલવે સ્ટેશન પર ભેગા થઈ આ મામલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
લોકોએ દેલવાડા થી તાલાળા આવતી ટ્રેનને અડધો કલાક રોકી
વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દેલવાડા થી તાલાળા આવતી ટ્રેનને અડધો કલાક રોકી હતી. શાળા જવા માટે મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો માટે આ બદલાવ તકલીફજનક સાબિત થયો છે.













