ગીર સોમનાથમાં આજથી ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સમગ્ર શહેર અને મંદિરની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા
શૌર્ય યાત્રાના રૂપમાં આયોજિત રોડ શોની તડામાર તૈયારીઓ કરાઈ છે. માર્ગ પર એક કિમી લાંબા રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા છે, જેમાં ગરબા, લદાખ નૃત્ય અને વિવિધ પરંપરાગત કળાઓ રજૂ થવાના છે.













