યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળથી દેલવાડા મુસાફરી કરનાર યાત્રીઓ માટે ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ)ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય અનુસાર જ ચાલતી રહેશે.


આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

01-ટ્રેન નંબર 52946 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.

02-ટ્રેન નંબર 52955 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે.

03-ટ્રેન નંબર 52933 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 14.45 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 18.55 કલાકે પહોંચશે.

04-ટ્રેન નંબર 52956 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 20.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 08.00 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 12.10 કલાકે પહોંચશે.

મુસાફરો નવા સમયપત્રકની માહિતી મેળવી લે તે જરૂરી

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયપત્રકની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે તેમજ રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયપત્રકની માહિતી અવશ્ય મેળવી લે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નિકળી ગયો


  • Follow us on: