ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ થતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તંત્રને રજૂઆત કરી, ત્યારબાદ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, અજય ભરવાડ તથા વિરમ ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ નોંદાઇ છે
ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ
કરોડોની કિંમતની આ ગૌચર જમીનમાં આ ગેરકાયદે ખોદકામ દ્વારા કરોડોની ખનીજચોરી થયાની જાણકારી સામે આવી છે. તપાસ દરમિયાન કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.













