ઉત્તરાયણના તહેવારને આડે હવે 4 દિવસ જ રહ્યા છે.ત્યારે આકશ રંગબેરંગી પંતગોથી તો ભરાઇ જશે. પરંતુ આ આનંદ કોઇ અબોલ પક્ષી માટે જીવલેણ ન બને તે માટે ગુજરાત સરકાર સજ્જ થઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં પક્ષીઓના રક્ષણ માટે આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણ અભિયાનની જાહેરાત કરી છે.
પતંગ-દોરીથી ઘાયલ થતાં પક્ષીઓના બચાવનું અભિયાન
દર વર્ષે પતંગની કાચ પાયેલી દોરીથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે અથવા જીવ ગુમાવે છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઈન અને રેસ્ક્યુ સેન્ટરો કાર્યરત કરવામાં આવશે. જે પક્ષીઓ દોરીમાં ફસાઈ જાય કે ઘાયલ થાય, તેમને તાત્કાલિક સારવાર આપી જીવતદાન આપવું એ આ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે.













