મોરબી જિલ્લામાં મોટી આગ દુર્ઘટના સર્જાવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલા એક ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉન વન વિભાગનું છે. હળવદના ટીકર રોડ પર આવેલા આ ઘુડખર અભ્યારણ્યના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને કારણે નાસભાગ મચી જવા પામી હતી.


વન વિભાગનો લુલો બચાવ

હળવદ શહેરના ટીકર રોડ પર વન વિભાગના ઘુડખર અભ્યારણ્યના પ્રાણીઓ માટે ઘાસચારો સંગ્રહવા માટે બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા હળવદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગવાના કારણે 4 હજાર કિલો ઘાસચારો સળગી ગયો છે. વન વિભાગે આ અંગે ખુલાસો કર્યો હતો કે, આ ઘાસચારો ખાવા લાયક ન હતો. આ ઘાસચારો 2020થી સંગ્રહ કરવામાં આવ્યો હતો. આવા કારણો જણાવી વન વિભાગ લુલો બચાવ કરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો - Halvad: ટીકર ગામમાં ગટરની સમસ્યા અને નર્કાગારની સ્થિતિથી ગ્રામજનોમાં રોષ


  • Follow us on: