સાબરકાંઠા LCB એ 'ઓપરેશન કારાવાસ અંતર્ગત સાત વર્ષથી ફરાર ખૂનના કેદીને મહારાષ્ટ્રના પુણેમાંથી ઝડપી પાડ્યો છે. આ કેદી નિરંજન પ્રવીણસિંહ રાજપૂત(રહે. જયઅંબે સોસાયટી, ખેડબ્રહ્મા) છે, જે ખૂનના ગુનામાં 2016માં દોષિત ઠર્યો હતો.


પેરોલ રજા પર બહાર આવ્યા બાદ ફરાર હતો

મહત્વપૂર્ણ છે કે, 2018 માં સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, પરંતુ તે પેરોલ રજા પર બહાર આવ્યા બાદ જેલમાં પરત ફર્યો ન હતો અને ત્યારથી પોલીસને ચકમો આપી ફરાર રહ્યો હતો.

મહારાષ્ટ્રમાં તે ચોરીઓ કરતો

 પોલીસે પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ કર્યું કે, તેણે 2019 થી 2025 દરમિયાન મહારાષ્ટ્રના ભાંડુપ, અંબરનાથ, કલ્યાણ વિસ્તારની કરીયાણા દુકાનોમાંથી ચોરી કરેલી હતી આ ઉપરાંત મુંબઈના લાલબાગ, શિવાજીપાર્ક, ડીબી માર્ગ, વીપી રોડ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પણ તેણે ચોરીઓ કરી હતી.


આ પણ વાંચો----   Delhi ના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનારા ગુજરાતના 2 યુવકો સામે આરોપો ઘડાયા, ઇન કેમેરા થશે સુનાવણી


  • Follow us on: