ભારતીય સેના દ્વારા અગ્નિવીર યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે અગ્નિવીર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર આર્મી રિક્રુટિંગ ઓફિસ દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ભરતી માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને તેમના પ્રવેશ કાર્ડ મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ભરતી રેલી માટેનું સમય પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારોને પ્રવેશ કાર્ડ મોકલી આપવામાં આવ્યા
આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા 24 માર્ચ 2026થી 03 એપ્રિલ 2026 દરમિયાન રેસકોર્સ સ્ટેડિયમ,રાજકોટ ખાતે ARO જામનગર ક્ષેત્રના 13 જિલ્લાઓ અને 01 કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ (UT) ના ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભરતી રેલી માટે પ્રવેશ કાર્ડ 05 ફેબ્રુઆરી 2026 અને 14 ફેબ્રુઆરી 2026 ના રોજ તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ સરનામાં પર શોર્ટલિસ્ટ કરાયેલા તમામ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે.














