જામનગર તાલુકાના સચાણા ગામમાં 2026ના પ્રારંભે જ એક માછીમાર આધેડની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. માછીમારી ઝાળના પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થયા બાદ સચાણામા 10 સભ્યો પર હુમલો થતાં તંગદિલી સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયા છે.પોલીસે ફરિયાદના આધારે 14 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે 7 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.જેમાં 6 શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.


માછીમારીની જાળના પૈસા બાબતે વિવાદ

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા માછીમારી સાથે જોડાયેલા હાજી બચુભાઈએ અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી.જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જેમાંથી 4 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીની રકમ તા.1 જાન્યુઆરીના રોજ આપવાનું નક્કી કરાયુ હતું.જોકે આ દરમિયાન અકબર દાઉદ બુચડને રૂપિયા 31 તારીખે જ જોઈતા હોવાથી માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખીને આરોપી ગઈકાલે સાંજે તેના અન્ય સાગરીતો સાથે હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો.

14 પૈકી સાત આરોપીઓને રાઉન્ડઅપ કરાયા

જેમાં આરોપીઓએ માર મારતાં હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી.આ દરમ્યાન ઘરના સભ્યો બચાવવા માટે ત્યા આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પરિવારજનો પર પણ છરી, તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં તમામને નાની મોટી ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર ઈજા પામેલા ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હાજી બચુ કક્કલે પોલીસ સમક્ષ 14 આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. જે 14 આરોપીઓ પૈકી પોલીસે સાતને રાઉન્ડઅપ કરી દીધા છે.જ્યારે બાકીના આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો


  • Follow us on: