કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે યોજાયેલા સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંગે અસંતોષના અહેવાલો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારથી અરજદાર બનીને લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા હોવા છતાં સાંજ સુધી એકપણ કામ પૂર્ણ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગામલોકો જણાવે છે કે સરકારનો સેવા સેતુ કાર્યક્રમનો હેતુ તો સારું છે, પરંતુ અધિકારીઓની અણઆવડત અને આયોજનના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


અધિકારીઓએ સર્વર ડાઉન હોવાના બહાના બતાવ્યા

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા સર્વર ડાઉન છે અથવા અમારી પાસે કીટ ઉપલબ્ધ નથી જેવા બહાનાં બતાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.આ મામલે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી ખસી જવાની કોશિશ કરતાં મામલતદારને જવાબદાર ઠેરવ્યા હતા.

સેવા સેતુ કાર્યક્રમના અમલ અંગે સવાલો

મામલતદાર સાથે સંપર્ક કરતા તેમણે આ બાબત પોતાની જવાબદારીમાં આવતી નથી અને તે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આખરે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે હું કંઈક કરું છું એવી પ્રતિક્રિયા આપી હતી. જોકે, દિવસભર રાહ જોતા ગ્રામજનોને કોઈ સ્પષ્ટ ઉકેલ મળ્યો નહોતો અને તેઓ સવારથી સાંજ સુધી રઝળતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને લઈને ગ્રામજનોમાં સરકારના સેવા સેતુ કાર્યક્રમના અમલ અંગે સવાલો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી


  • Follow us on: