જુનાગઢ શહેરમાં વર્ષ ૨૦૦૯ના ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જૂનાગઢ મનપામાં થયેલા ગેરરીતિના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી દરેકને 6 માસની સજા ફટકારવામાં આવી છે.
આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી
અદાલતમાં રજૂ થયેલા પુરાવા મુજબ, આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. રોડ ડિમોલિશન કામગીરી દરમિયાન લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું.













