જૂનાગઢના મોતીબાગ પાસે આવેલા પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે અને આજે નારાજ વાલી મંડળ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે.


વાલીઓ રોષે ભરાયા

જુનાગઢ મોતીબાગ પાસે આવેલા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત છેલ્લા ઘણા સમયથી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષાને લઈને વાલી મંડળ લડાઈ કરી રહ્યા છે, પરંતુ ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી, ઉપરાંત ટ્રસ્ટી મંડળના કાંતિ ફળદુ દ્વારા વાલીઓને જેમ ફાવે તેમ અપ શબ્દો બોલીને અપમાન કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા અને અવારનવાર વાલી મંડળની મીટીંગો બોલાવવા માટેની રજૂઆતો છતાં વાલી મીટીંગો ના બોલાવતા વાલીઓ દ્વારા ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે.

વાલીઓએ ધરણા શરૂ કર્યા

વાલીઓનું આંદોલન તોડવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા કાવતરા કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત તારીખ 9 ફેબ્રુઆરીના રોજ વાલીઓ દ્વારા હોસ્ટેલે આવીને ટ્રસ્ટી મંડળને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે વાલીઓને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ વાલી મિટિંગ બોલાવવામાં આવશે. પરંતુ આજ સુધી વાલી મિટિંગ બોલાવવામાં આવી નથી, જેથી વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને કાંતિ ફળદુ દ્વારા કરવામાં આવેલા અશોભનીય વર્તનને લઈને તે તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી સાથે પટેલ કેળવણી મંડળ સામે વાલીઓએ ધરણા શરૂ કર્યા છે.

જ્યાં સુધી માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ધારણા ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ વિચારવામાં આવી છે. વાલીઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવતા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓમાં પણ ચર્ચાઓ જાગી છે અને વાલીઓને સમજાવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Bharuch News: અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલના ત્રણ કર્મચારીઓએ દર્દીઓની ફીના 13.49 લાખની ઠગાઈ આચરી


  • Follow us on: