જુનાગઢમાં આવનાર મહાશિવરાત્રી મેળાને લઈ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સુદર્શન તળાવ નજીક ગેરકાયદે દબાણ કરનાર શિવગીરી નામના સાધુ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, શિવગીરી દ્વારા સુદર્શન તળાવ નજીક જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી.













