જૂનાગઢના કેશોદમાં કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી અને અકસ્માતમાં 8થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે, મહારાષ્ટ્રના યાત્રિકો હતા કારમાં સવાર અને કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, કારમાંથી નીચે પટકાતા 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ગિરનારથી સોમનાથ જતા સર્જાયો અકસ્માત
કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે અને કેશોદના સોંદરડા બાયપાસ પાસે આ અકસ્માત થતા પોલીસ અને સ્થાનિકો પણ મદદે પહોંચ્યા હતા, ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પોલીસે તપાસની શરૂઆત કરી હતી, કારમાં સવાર મહિલાઓને બહુ ઈજા પહોંચી નથી, અને કારના ચાલકને વધુ ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.













