મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ ખાતેથી 215 કરોડના 26 વિકાસકાર્યોની ભેટ આપી હતી. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીની સાદગીએ લોકોના દિલ જીત્યાં હતાં. તેઓ સાસણમાં સિંહ સદન બહાર નીકળીને સ્થાનિકોને મળ્યા હતાં.


સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી

મુખ્યમંત્રી સાસણમાં સિંહ સદનની બહાર નીકળીને સ્થાનિકોને પ્રેમથી મળ્યા હતાં. બજારમાં વેપારીઓ અને પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે ગીરના સ્થાનિક લોકોના ખબર અંતર પૂછ્યા હતાં. વેપારીઓ સાથે બેસીને ચા પાણી પણ કર્યા હતાં. મુખ્યમંત્રીની મૃદુતા જોઈને પ્રવાસીઓ ભારે ઉત્સાહિત થયા હતાં. તેઓ કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય માણસની જેમ સૌને મળ્યા હતાં.​ મુખ્યમંત્રીએ લોકોને નવી મુલાકાત માટે શુભકામના પાઠવી હતી.​સત્તામાં હોવા છતાં તેમની સાદગીની ચર્ચા સર્વત્ર રહી હતી.

ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઇ મીરનું સન્માન કર્યું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જૂનાગઢના ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઇ મીરને પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં તેમનું વિશેષ સન્માન કર્યું હતું. ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવરૂપ વિરાસત ધરાવતું જૂનાગઢ શહેર આજે વિકાસનું જીવંત ઉદાહરણ બન્યું એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ વંથલી ખાતે 4.25 કરોડના ખર્ચે નિર્મિત 25 બેડની ક્ષમતા ધરાવતા અધ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કેશોદ ખાતે 10.12 કરોડના ખર્ચે નિર્મિત જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનને પણ ખુલ્લું મૂક્યું હતું.


આ પણ વાંચોઃ World News: 'પરમાણુ કરાર કરો, નહીંતર આગામી હુમલો વધુ ખતરનાક હશે', Donald Trumpએ Iranને આપી ધમકી


  • Follow us on: