ગઈકાલે કેશોદમાં આ માટે હિંદુ અને લઘુમતી સમાજની બંને સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જૂનાગઢ જિલ્લાના કેશોદમાં અમુક રહેણાંક વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકો દ્વારા પ્લોટની ખરીદી થવાને કારણે હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થવાની આશંકા છેલ્લા કેટલાક સમયથી સેવાઈ રહી હતી.
આ સંભવિત તણાવને ટાળવા માટે હિંદુ સમાજ દ્વારા તેમના વિસ્તારમાં 'અશાંતધારો' લાગુ કરવાની સતત માગ
આ સંભવિત તણાવને ટાળવા માટે હિંદુ સમાજ દ્વારા તેમના વિસ્તારમાં 'અશાંતધારો' લાગુ કરવાની સતત માગ કરવામાં આવી રહી હતી, હિંદુ સમાજનું કહેવું હતું કે, બંને ધર્મના લોકોના રીત-રિવાજ, ખાન-પાન અને રહેણીકરણી જુદા હોવાથી તેઓ એકબીજાની અનુકૂળતામાં રહી શકે તેમ નથી, જેના કારણે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો.













