સ્થાનિક ચૂંટણીમાં EWS અનામત મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ હતી અને આગામી સમયમાં જંગી સભા-રેલી યોજવાની જાહેરાત કરાઈ છે, સરકારના વચનો પૂર્ણ થયાનો આંદોલનકારીઓનો આક્ષેપ છે અને આવનારા દિવસોમાં જૂનાગઢણાં જંગી સભા-રેલી યોજાશે.


ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈ બેઠક

ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને ‘ભાગેડુ લગ્ન પ્રથા’ સામે કાયદો બનાવવાની માંગ સાથે આંદોલનકારીઓની ટીમ સક્રિય થઈ છે. તાજેતરમાં ગાંઠિલા ઉમિયાધામ ખાતે માતાજીના આશીર્વાદ લીધા બાદ આંદોલનકારીઓએ આગામી રણનીતિ સ્પષ્ટ કરી હતી.આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી.

ભાગેડુ લગ્ન પ્રથા બંધ થાય તે મુખ્ય માંગણી

તેમની મુખ્ય માંગણીઓમાં ‘ભાગેડુ લગ્ન પ્રથા’ (માતા-પિતાની સંમતિ વિના થતા પ્રેમ લગ્ન) વિરુદ્ધ કડક કાયદો બનાવવો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત (EWS)નો અમલ કરવો. ગાંઠિલા મંદિરની આસપાસ રિવરફ્રન્ટનું નિર્માણ અને જરૂરી પુલની સુવિધા પૂરી પાડવી. આ બેઠક માત્ર આગેવાનો વચ્ચેની એક 'ચિંતન બેઠક' હતી, પરંતુ આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા 30 દિવસમાં જૂનાગઢ ખાતે એક જંગી સભા અને રેલીનું આયોજન કરવામાં આવશે. આ સભા દ્વારા પાટીદાર સમાજ પોતાનું રાજકીય પ્રતિનિધિત્વ અને શક્તિ બતાવશે, જે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પાટીદાર સમાજની આ સક્રિયતાને ખૂબ મહત્વની માનવામાં આવે છે. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગાંઠિલા ધામને વિકાસથી વંચિત રાખવાની સાજિશ થઈ રહી છે, જેની સામે સમાજ હવે એકજુઠ થઈને લડત આપશે.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો, આજે હાઇકોર્ટમાં ડિમોલિશનને લઇ સુનાવણી


  • Follow us on: