છેલ્લા 15 દિવસથી ચીખલોડ ગામના ગ્રામજનો કપડવંજ તાલુકામાં ગામને યથાવત રાખવા માટેની માગ કરી રહ્યા છે. ચીખલોડનો નવરચીત ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવ્યો અને તાલુકાનું મથક ફાગવેલ રાખવાની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો
“છૂટુ ના પાડો, છૂટુ ના પાડો, ચીખલોડને કપડવંજમાંથી છુટુ ના પાડો” નો નારો ગામમાં ગુંજી રહ્યો છે. ચીખલોડ ગામના લોકોનો દાવો છે કે કપડવંજ સમૃદ્ધ શહેર છે અને અહીં તમામ જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે, તેથી ગામને કપડવંજમાં જ રાખવું યોગ્ય રહેશે.













