જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે સેન્ટ્રલ જીએસટી (CGST) વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. જે કારણે સોની બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગના અધિકારીઓએ કેશોદ શહેરના નામાંકિત જ્વેલર્સ પર સપાટો બોલાવ્યો છે, જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.


એ.જે. અને ધકાણ જ્વેલર્સ પર તપાસનો ધમધમાટ

મળતી માહિતી અનુસાર, કેશોદની સોની બજારમાં આવેલી 'એ.જે. જ્વેલર્સ' અને 'ધકાણ જ્વેલર્સ' પર જીએસટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા જ્વેલર્સના હિસાબી ચોપડા, સ્ટોક રજિસ્ટર અને બિલિંગ દસ્તાવેજોની જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાચા બિલ અને ટેક્સ ભર્યા વગરના વ્યવહારો પર વિભાગની બાજ નજર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રેડના પગલે બજારમાં સન્નાટો

જીએસટી વિભાગની રેડના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસર્યા હતા. જે બાદ કેશોદની અન્ય જ્વેલર્સ દુકાનોના શટર ટપોટપ પડવા લાગ્યા હતા. અનેક વેપારીઓ તપાસના ડરથી પોતાની દુકાનો છોડીને ભાગી ગયા હતા, જેના કારણે સમગ્ર સોની બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. હાલમાં આ તપાસમાં કેટલી બેનામી સંપત્તિ કે ટેક્સ ચોરી ઝડપાય છે તેની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો - Junagadh : કેશોદના સોંદરડા GIDCમાં પૂરપાટ દોડતી કાર દુકાનમાં ઘુસી, ડ્રાઇવરને કારનો દરવાજો તોડી બહાર કઢાયો


  • Follow us on: